મોરબી : દેવપ્રયાગગીરી બાપુની પુણ્યતિથિ નિમિત્તે 10મીએ ગુરુયાગ

- text


મોરબી : મોરબીમાં લીલાપર રોડ પર આવેલ ગિરનારી આશ્રમ ખાતે સદ્ ગુરુ દેવપ્રયાગગીરી બાપુની નવમી પુણ્યતિથિ નિમિત્તે આગામી તા. 10 જાન્યુઆરીના રોજ સવારે 9 કલાકે ગુરુયાગ તથા બપોરે 11-30 કલાકે મહાપ્રસાદનું આયોજન મહંત મદનગીરી મહારાજના સાનિધ્યમાં કરવામાં આવ્યું છે. આ આયોજન અંતર્ગત આગામી તા. 9 જાન્યુઆરીના રોજ ગુરુવારે સવારે 8 કલાકથી સંપુટ મંડળનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ તકે આશ્રમના મહંત હંસાગિરી માતા દ્વારા આયોજનનો લાભ લેવા માટે ભાવિકોને આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

- text