ગીતાંજલી વિદ્યાલયમાં બે દિવસીય સ્કિલ કાર્નિવલનું આયોજન

- text


મોરબી : ગીતાંજલી વિદ્યાલયના સંચાલકો, આચાર્ય, શિક્ષકો તથા વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત કરેલ સ્કિલ કાર્નિવલ એકઝીબિશન નિહાળવા માટે સંસ્થા તરફથી લોકોને ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

ગીતાંજલી વિદ્યાલય ખાતે આયોજિત આ સ્કિલ કાર્નિવલ તારીખ 27/12/2019ને શુક્રવાર તથા 28/12/2019ને શનિવારે બે દીવસ માટે છે. કાર્નિવલનો સમય સવારના 09:00થી 12:30 તથા બપોરે 02:00થી 04:00 સુધી રખાયો છે.

- text

કેળવણી એટલે બાળકના મન, શરીર અને આત્માના ઉત્તકર્ષનુ સ્વાનુભવનું ભાથું. બાળક પોતાની રીતે જે કાંઈ કરે છે એ હંમેશા ઉત્તમ જ હોય, આ એકઝીબિશન પણ એનુ જ પરીણામ છે. આ અેકઝીબિશનમા ગણિત વિજ્ઞાન કલાકૃતિ, સામાજિક, સાંસ્કૃતિક તથા અૈતિહાસિક મોડેલ, ચાર્ટ તથા અવનવી પ્રાચીન વસ્તુઓ, આર્ટ અને ક્રાફ્ટ, વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ હસ્તકલા કારીગરી નિહાળી શકાશે. તેમજ વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત નાસ્તાના સ્ટોલ પરથી સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને સ્વચ્છ વાતાવરણમાં નિર્મિત શુદ્ધ અલ્પાહારનો આનંદ પણ ઉઠાવી શકાશે. આ તમામ વિદ્યાર્થીઓના સરાહનીય કાર્યને નિહાળો અને તેને પ્રોત્સાહીત કરવા સહપરીવાર પધારવા ગીતાંજલી પરિવારે લોકોને હાર્દિક આમંત્રણ પાઠવ્યુ છે.

- text