ઝૂલેલાલની અંખડ જ્યોત મોરબી આવતા સિંધી સમાજે દર્શનનો લાભ લીધો

- text


મોરબી : સમગ્ર સિંધી સમાજ માટે ખુબ જ ધાર્મિક મહત્વ ધરાવતું એવું ઝૂલેલાલનું જે મંદિર સિંધ પ્રાંતમાં આવેલ છે. ત્યાંથી ઝૂલેલાલ ભગવાનની અંખડ જ્યોત ત્યાંથી ભારત લઈ આવવામાં હતી. એ જ્યોત જ્યોત યાત્રા થકી મહારાષ્ટ્રના ઉલ્લાસનગરથી ગત તા. 29 સપ્ટેબરથી નીકળી છે. જે 80 દિવસ બાદ મોરબીના સ્ટેશન રોડ પર આવેલ સિંધુ ભવન ખાતે પહોંચી હતી. આ જ્યોતના દર્શન સિંધી સમાજના લોકોએ ભાવપૂર્વક કરી લાભ લીધો હતો.

- text

દર્શન બાદ મંદિરમાં ધાર્મિક કાર્યકમ યોજાયા હતા. આ યાત્રા અંગે આયોજકોએ જણાવ્યું હતું કે આ મહારાષ્ટ્રના જલ ગાવ ખાતે સિંધી સમાજનું વિશાલ રામ ભગવાન, ઝૂલેલાલ ભગવાન અને હિંગળાજ માતાજીનું મંદિર સંતોની પ્રતિમા સાથે બનાવવામાં આવશે. તેમજ મ્યુઝીમ તથા હોસ્પિટલ બનવા જઈ રહી છે, તેના પ્રચાર માટે આ યાત્રા નીકળી છે. તે લગભગ 3 વર્ષ દેશના જુદા જુદા 1500 શહેરમાં પસાર થશે. જેથી, મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો આ જ્યોતનો દર્શન લાભ લઇ શકે. તેના માટે આ યાત્રા નીકળી છે.

- text