- text
વિકાસ કમિશનર લાંચ કેસમાં આપેલા આદેશને હાઇકોર્ટમાં પડકાર્યો : હાઇકોર્ટે જિ. પં. ના પ્રમુખ કિશોર ચીખલીયાને રાહત આપતા તેમના સમર્થકોએ ફટાકડા ફોડીને ખુશાલી મનાવી
મોરબી : મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોર ચીખલીયાને લાંચ કેસમાં વિકાસ કમિશનરે બરતરફ કરવાનો હુકમ કર્યો હતો. આથી તેઓએ આ આ મામલાને હાઇકોર્ટેમાં પડકાર્યો હતો. જેમાં હાઇકોર્ટે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોર ચીખલીયાને હોદા પરથી દૂર કરવા હુકમ ઉપર સ્ટે ફરમાવ્યો છે. આમ આ હાઇકોર્ટે તેમને હાલ તુરત રાહત આપી છે.આથી કિશોર ચીખલીયા મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે યથાવત રહેશે.મોરબી જિલ્લા પંચાયતના હાલના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા જે તે વખતે મોરબી જિલ્લા પંચાયતના કારોબારીના ચેરમેન હતા. તે સમયે તેમણે લાંચ માંગી હોવાની ફરિયાદ ઉઠી હતી. તેથી એસીબીએ મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ સામે લાંચ લીધાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. આ લાંચ કેસમાં કિશોરભાઈ ચીખલીયાએ આગોતરા જામીન મેળવી લીધા હતા. ત્યારે વિકાસ કમિશનરે આ લાંચ કેસમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાને હોદા પરથી દૂર કરવાનો લેખિતમાં આદેશ આપ્યો હતો. આથી વિકાસ કમિશનરે જિલ્લા પંચાયતના પ્રમુખ પદેથી દુર કરવાનો આદેશને કિશોર ચીખલીયાએ હાઇકોર્ટે પડકાર્યો હતો.
- text
તેમણે કરેલી પિટિશનની આજે હાઇકોર્ટેમાં સુનાવણી કરાઈ હતી જેમાં હાઇકોર્ટે વિકાસ કમિશનરે આપેલા ઓર્ડર ઉપર સ્ટે આપીને હાલ પૂરતી કિશોર ચીખલીયાને રાહત આપી છે.આ મુદ્દે કિશોર ચીખલીયાએ પ્રતિક્રિયા આપી હતી કે,તેમની અરજી ઉપર હાઇકોર્ટે એસીબીએ દોઢ વર્ષ પછી લાંચ કેસની ફરિયાદ નોંધી એના ઉપર સવાલ ઉઠાવીને આ સ્ટે આપ્યો હતો હવે તેઓ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે યથાવત રહેશે.જ્યારે હાઇકોર્ટે જિ. પં. ના પ્રમુખ કિશોર ચીખલીયાને રાહત આપતા તેમના સમર્થકોએ ફટાકડા ફોડીને ખુશાલી મનાવી હતી.
- text