મોરબીના ઠાકર ભજન મંડળ દ્વારા વિરદાસ બાપુની પુણ્યતિથિ નિમિત્તે સોમવારે વિવિધ કાર્યક્રમો

- text


મોરબી : મોરબીના ઠાકર ભજન મંડળ તથા જય ગુરુદેવ ગ્રુપ દ્વારા આગામી તા. 30 ડિસેમ્બરના રોજ સોમવારે વરિયા મંદિરના મહંત વિરદાસ બાપુની પુણ્યતિથિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવેલ છે. જેમાં વાતાવરણ શુદ્ધિ યજ્ઞ સવારે 8-30 કલાકે, બટુક ભોજન સાંજે 4 કલાકે, ધૂન સાંજે 4થી 6 કલાકે તથા મહાપ્રસાદ 6-30થી 8 કલાકે વરિયા મંદિર, સો ઓરડી ખાતે રાખવામાં આવેલ છે. આ ઉપરાંત, રાત્રે 9-30 કલાકે ભજનના કાર્યક્રમમાં ભજનીક રસિક મહારાજ (થાનગઢ), ભજનીક અશોકભાઈ પ્રજાપતિ (થાનગઢ) તથા ભજનીક અનોપસિંહ વાઘેલા દ્વારા ભજનની પ્રસ્તુતિ કરવામાં આવશે. આ તકે આયોજકો દ્વારા વરિયા સમાજના દરેક ગામમાં વસતા કુટુંબદીઠ એક વ્યકતિને આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

- text