મોરબી : વૃક્ષ કાપતી વખતે વીજ લાઈનને અડકી જતા યુવાનનું મોત

- text


મોરબી : મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ધર્મસિધ્ધિ સોસાયટીના નાકે વીજ શોક લાગવાથી એક અજાણ્યા યુવાનનું કરુંણ મોત નીપજ્યું હતું. જો કે અહીં વૃક્ષ કાપતી વખતે ઉપરથી પસાર થતી જીવિત વીજ લાઈનને અડકી જતા આ કરુણ ઘટના સર્જાઈ હતી. એ ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ધર્મસિધ્ધિ સોસાયટીના નાકા પાસે આજે બપોરે વીજ શોક લાગતા એક અજાણ્યા યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં 108 ઇમરજન્સી સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઈને મૃતકને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જો કે પંચાસર રોડ ઉપર વૃક્ષ કાપતી વખતે ઉપરથી પસાર થતી જીવિત વીજ લાઈનને અડકી જતા આ અજાણ્યા યુવાનને ઇલે.શોર્ટ લાગતા તેનું મોત નીપજ્યું હતું.

- text

આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસે જણાવ્યું હતું કે, મૃતકના સગા વ્હાલા ન આવ્યા હોય હાલ તેની ઓળખ મળી નથી. પણ આ બનાવની નોંધ કરી મૃતકની ઓળખ મેળવવા અને બનાવનું સ્પષ્ટ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

- text