મોરબી : ઉછીના પૈસા બાબતે મારામારી કર્યાની ફરિયાદ

- text


મોરબી : મોરબીના લીલાપર પર પર આવેલા એક કારખાનાની ઓરડીમાં રહેતા લાલજીભાઈ દેવજીભાઈ હમીરપરાએ આરોપી કિરણ નાગજીભાઈ દેગામા પાસેથી હાથ ઉછીના રૂપિયા લીધેલ હતા. જે રૂપિયા કિરણભાઈએ પરત માંગતા લાલજીભાઈએ તેને જણાવ્યું હતું કે હજુ સુધી મારો પગાર થયેલ નથી. વાતચીત દરમિયાન અન્ય આરોપી સંજય નાગજીભાઈ દેગામાએ આવીને ઉશ્કેરાય જઈને ફરિયાદીને ગાળો આપી મારામારી કરી હતી. આ ઘટનાની નોંધ મોરબી પોલીસ એ ડિવિઝન એ કરી ધોરણસરની તાપસ હાથ ધરી છે.

- text