મોરબીના ઝૂલતા પૂલ નીચે મચ્છુ નદીમાંથી લાપતા યુવાનનો મૃતદેહ મળ્યો

- text


ફાયર બ્રિગ્રેડે લાશ બહાર કાઢીને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી

મોરબી : મોરબીના ઝૂલતા પૂલ નીચે મચ્છુ નદીમાંથી લાપતા થયેલા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. ફાયર બ્રિગ્રેડ વિભાગે લાશ બહાર કાઢીને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી. આ બનાવને પગલે પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ઝૂલતા પૂલ નીચે સ્વામિનારાયણ મંદિર પાસે મચ્છુ નદીમાં એક યુવાન પડી ગયો હોવાની જાણ થતાં મોરબી ફાયર બ્રિગ્રેડ વિભાગના વિનયભાઈ ભટ્ટ સહિતના સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને યુવાનનો મૃતદેહને બહાર કાઢીને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક ખીમજીભાઈ ડાયાભાઈ સોલંકી ઉ.વ.40 નામના યુવાન હોવાની ઓળખ મળી છે. આ મૃતક ગઈકાલે લાપતા બની ગયા હતા. બાદમાં આજે સવારે તેમની અહીંથી લાશ મળી આવી હતી. અને ગઈકાલ સાંજથી આજ સવાર સુધી તાપસનો દોર ચાલુ હતો. હાલ તેઓ મચ્છુ નદીમાં પડી જતા ડૂબી જવાથી તેમનું મોત થયું હોવાનું પ્રાથમિક તારણ છે. આ બનાવ આપઘાતનો છે કે કેમ તે અંગે પોલીસે હાલ સઘન તપાસ હાથ ધરી છે.

- text