બિનવારસી મૃતદેહોને અવલ્લ મંઝીલે પોહચડતા મોરબીના સેવાભાવી કાર્યકરો

- text


મહિલા સામાજિક કાર્યકર અને પંચમુખી હનુમાનજી ટ્રસ્ટના સભ્યોએ બે બિનવારસી ડેડબોડીને અવ્વલ મંઝિલે પહોંચાડી

મોરબી : મોરબીની સિવિલ હોસ્પિટલમાં બે બિનવારસી મૃતદેહો આવ્યા હતા. જો કે આ બન્ને મૃતકોના કોઈ વાલી વારસ ન મળી આવતા અંતે સિવિલ હોસ્પિટલના સામાજિક કાર્યકર અને સેવાભાવી સંસ્થા પંચમુખી હનુમાનજી ટ્રસ્ટના સભ્યોએ આ બન્ને બિનવારસી લાશની અંતિમક્રિયા કરીને નવરાત્રીના દિવસોમાં પુણ્યનું ભાથું બાંધ્યું હતું. મોરબીની સિવિલ હોસ્પિટલમાં બે ડેડબોડી આવી હતી. જેમાં આ બન્ને ડેડ બોડી ગુણવંતભાઈ ગુલામભાઈ ગઢવી અને માધુભાઈ મહાદેવભાઈની હોવાની ઓળખ મળી હતી. પરંતુ આ બન્ને બિનવારસી લાશના વાલી વારસ ન મળી આવતા અંતે સેવાભાવી કાર્યકરોએ તેમની અંતિમક્રિયા કરી હતી. જેમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને મદદરૂપ થઈને સેવાકીય કાર્યો કરતા સામાજિક કાર્યકર હસીનાબેન લાડકા તેમજ સેવાભાવી સંસ્થા પંચમુખી હનુમાનજી ટ્રસ્ટના સેવાભાવી કાર્યકરોએ બન્ને મૃતકનો વાલી વારસ તરીકે જવાબદારી નિભાવીને હિન્દૂ સંસ્કૃતિ અનુરૂપ બન્ને ડેડબોડીની અંતિમક્રિયા કરીને નવરાત્રીના દિવસોમાં પુણ્યનું ભાથું બાંધ્યું હતું.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text