ટંકારાના કલ્યાણપર, વિરપર અને મિતાણા ગામે નર્મદા મહોત્સવ યોજાયો

- text


નર્મદા નીરના વધામણાં કરીને આરતી સાથે પૂજા અર્ચના કરાઈ

ટંકારા : ટંકારા તાલુકાના કલ્યાણપર, વિરપર અને મિતાણા ગામે આજે નમામી નર્મદે મહોત્સવ યોજાયો હતો. જેમાં નર્મદા નિરના વધામણાં કરવામાં આવ્યા હતા અને આરતી સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી.ટંકારાના કલ્યાણપર ગામે નર્મદા મહોત્સવ યોજાયો હતો.જેમાં નર્મદા નીરના વધામણી કરી નર્મદા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે મામલતદાર પંડયા,તલાટી કમ મંત્રી કિશોરભાઈ ભટાસણા,એમ જે પટેલ, સરપંચ દિનેશભાઈ ગામના આગેવાનો કિરીટ અંદરપા પ્રભુ કામરીયા રાજકોટીયા, પ્રવિણભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે વિરપર ગામે નમામી નર્મદે મહોત્સવ ઉજવાયો હતો અને નર્મદા નિરના વધામણાં કરીને આરતી સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી.જેમાં સ્થાનિક અધિકારીઓ સાથે ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત ટંકારા તાલુકાના મિતાણા ગામે નમામી નર્મદે મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને નર્મદાના નીરના વધામણાં કરીને નમામી નર્મદે મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

- text