લાલપર ખાતે ગણપતિ ઉત્સવમાં અન્નકૂટના અદભુત દર્શનનો લ્હાવો લેતા બાપ્પાના ભક્તો

- text


મોરબી : લાલપર મોરબી-૨ ખાતે ગણેશ ઉત્સવનું અદભુત આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉત્સવ દરમ્યાન દરરોજ ભક્તો દ્વારા વિવિધ પ્રસાદ ગણપતિને ધરવામાં આવ્યો હતો. લાલપરમાં આવેલ ઓર્સન ઝોન-2મા 11 દિવસ માટે ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં નાત-જાતના ભેદભાવ ભૂલી દરેક પરિવારના સભ્યોએ સાથ સહકાર આપ્યો હતો. આ ઉત્સવ દરમ્યાન તમામ જ્ઞાતિ-જાતિના લોકોએ ભેગા મળી ગણેશજીને અન્નકુટનો પ્રસાદ ધર્યો હતો. મનહરભાઈ, નરેનભાઈ, વિપુલભાઈ, ધનંજયભાઈ, રવિન્દ્રભાઈ સહિતનોએ તન-મન-ધનથી સેવા આપી સહયોગ કર્યો હતો.

- text