વાંકાનેરના વાંકીયા ગામે સ્વચ્છતાનો અભાવ : રોગચાળાનો ભય

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના વાંકીયા ગામે સ્વચ્છ ભારત મિશનનો ઉલાળિયો કરવામાં આવી રહ્યું હોય તેવું ફલિત થઇ રહ્યું છે કારણ કે છેલ્લા ઘણાં સમયથી વાંકીયામાં સ્વચ્છતા અંગે કોઈ પગલા ભરવામાં આવ્યા હોય તેવું દેખાઈ નથી રહ્યું. એક તો ચોમાસાની ઋતુ અને તેમાં પણ સાફ-સફાઈના અભાવના લીધે ચોતરફ ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયેલ છે અને આ ગંદકી ના લીધે રોગચાળો વકરે તેવી શક્યતાઓ રહેલી હોય તાત્કાલિક અસરથી વાંકીયા ગામે તંત્ર દ્વારા સફાઈ હાથ ધરવામાં આવે અને પાણીજન્ય રોગો ન ફેલાય તે માટેના તકેદારી પગલા લેવામાં આવે તેવી લોકમાંગ ઊઠી છે.

- text