- text
મોરબી : મોરબીના ગ્રુપ ઓફ વંદે માતરમ દ્વારા પારેખ સ્ટ્રીટ, રૂંગુનાથજી ચોક ખાતે પંડાલ નાખી ગણેશની સ્થાપના કરવામાં આવી છે. જેમાં રોજ અલગ અલગ કાર્યક્રમ દ્વારા ગણેશની ભક્તિ કરવામાં આવે છે. ત્યારે દુંદાળા દેવને 56 ભોગ ધરીને તેની ભક્તિ કરવામાં આવી હતી. જેના દર્શનનો લાભ ધર્મપ્રેમી જનતાએ લઇ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
- text