વાંકાનેર : બુધવારે મીરૂમીંયા બાવાનો ઉર્ષ મુબારક ઉજવાશે

- text


વાંકાનેર : વાંકાનેર, ટંકારા, ધોળકા, નડિયાદ, વસો, સુરત, ઉત્તર ગુજરાત અને મુંબઈ સહિત પુરા ગુજરાતમાં વસતા સમગ્ર મોમીન સમાજના ધર્મગુરુ હ.પીર સૈયદ મીંરૂમીંયા બાવા સાહેબ (રહે) (વાંકાનેર-સૌરાષ્ટ્ર)નો ચાંદ -૧૬ શવ્વાલ તારીખ 19/6/2019ને બુધવારે ઈશાની નમાઝ બાદ વાંકાનેર ખાતે સૂફી પરંપરા પ્રમાણે શંદલ શરીફની રસમ અદા કરવામાં આવશે.

આ પ્રસંગે દરગાહ શરીફના સજ્જાદા નશીન તેમજ સમગ્ર મોમીન સમાજની મોટી ગાદીના ધર્મગુરુ સૂફી સંત અલ્હાઝ પીર સૈયદ ખુરશીદહૈદર પીરઝાદા (ઉર્ફે.મીર સાહેબ), ધારાસભ્ય મોહંમદજાવેદ પીરઝાદા, ઈરફાન પીરઝાદા (પૂર્વ પ્રમુખ યાર્ડ) સહિત સમગ્ર પીરઝાદા પરિવાર અને અકીદતમંદો હાજરી આપશે. આ ઉર્ષ મુબારક પ્રસંગે શ્રદ્ધાળુઓને હાજર રહેવા અલ્હાજ સૈયદ શાઇરએહમદ ખુરશીદહૈદર પીરઝાદાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

 

- text