વાંકાનેરમાં દુકાનદારના પરિવારે બે ગ્રાહકોને ધોકાવ્યા

- text


પૈસા બાકી રાખવા મામલે દુકાનદારના પરિવારના ૪ચાર સભ્યો લાકડીઓ વડે તૂટી પડ્યા

વાંકાનેર : વાંકાનેરમા પૈસા બાકી રાખવા મામલે દુકાનદારના પરિવારે બે ગ્રાહકોને લાકડી વડે માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે દુકાનદારના પરિવારના ચાર સભ્યો સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ વાંકાનેરના નવાપરા પુલના છેડા પાસે દેવીપૂજક વાસમાં રહેતા સાગરભાઈ ધીરૂભાઈ થારેકીયાએ સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેઓના મિત્રનેદુકાનદાર પાસેથી બાકીમાં માલ જોઈતો હતો. જેમાં વચ્ચે રહેવાની ના પાડતા દુકાનદારના પરિવારના સભ્યો અનિલ ઉર્ફે પિન્ટુ અશોકભાઈ થારેકીયા, મેહુલ અશોકભાઈ થારેકીયા, દેવરાજ અશોકભાઈ થારેકીયા, અશોકભાઈ ચકુભાઈ થારેકીયાએ તેમને તેમજ તેમના મિત્રને લાકડી વડે માર માર્યો હતો. આ ફરિયાદના આધારે પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text