મોરબી : જરૂરિયાતમંદ બ્રાહ્મણ પરિવારો માટે બ્રહ્મપુરી સોસાયટી આવાસ યોજના

- text


પ્રોજેકટ માટે ૨૦મીએ પરશુરામધામ ખાતે અગત્યની બેઠક

મોરબી : મોરબીમા વસવાટ કરતા જરૂરિયાતમંદ બ્રાહ્મણ પરિવારો માટે બ્રહ્મપુરી સોસાયટી આવાસ યોજના નિર્માણ થનાર છે આ આવાસ યોજના માટે ફોર્મ ભરનાર પરિવારોની આગામી તા. ૨૦ માર્ચે સાંજે અગત્યની બેઠક બોલાવવામાં આવી છે.

મોરબી બ્રહ્મ સમાજ દ્વારા જરૂરિયાતમંદ બ્રાહ્મણ પરિવારો માટે નવલખી રોડ ઉપર બ્રહ્મપુરી સોસાયટી આવાસ યોજના નિર્માણ કરવા પ્રોજેકટ હાથ ઉપર લેવાયો છે જે સંદર્ભે આગામી તા. ૨૦ને બુધવારના રોજ પરશુરામ મંદિર નવલખી રોડ ખાતે સાંજે પ વાગ્યે અગત્યની મિટીંગ યોજવામાં આવી હોય આવાસ યોજના માટે ફોર્મ ભરનાર તમામ બ્રહ્મ પરિવારે હાજર રહેવા બ્રહ્મ સમાજ પ્રમુખ પ્રશાંતભાઈ મહેતા, મહામંત્રી રાજુભાઇ ભટ્ટ, મુકેશભાઈ જાની, પ્રાજેક્ટ ચેરમેન દિનેશભાઇ પંડ્યા સહિતના હોદ્દેદારોની યાદીમાં જણાવાયું છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

 

- text