માજી સૈનિકે પુત્રના લગ્ન પ્રસંગમાં શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી

- text


લગ્નમાં આવેલા સગા સ્નેહીજનોએ ભારે હૈયે શ્રદ્ધાંજલિ આપી આંતકી હુમલા સામે ભારત સરકાર જડબાતોડ કાર્યવાહી કરે તેવી માંગ કરી

ટંકારા : કાશ્મીરના પુલવામાં સૌથી મોટા આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાન શહીદોને સમગ્ર દેશમાંથી ભારે હૈયે શ્રધાંજલિ અપર્ણ કરવામાં આવી રહી છે. ટંકારાના મોટા ખીજડિયા ગામે રહેતા આર્મીના નિવૃત સૈનિકે પોતાના પુત્રને લગ્ન પ્રસંગમાં કાશ્મીરના વીર શહીદ સૈનિકોને શ્રધાંજલિ આપી હતી.

- text

કાશ્મીરના પુલવામાં ગઈકાલે દેશના સૌથી મોટા આતંકી હુમલામાં 42 આર્મીના જવાનો શહીદ થતા દેશભરમાં ભારે આક્રોશ સાથે વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે.ત્યારે એક સમયે દુશમનોના દાંત ખાટા કરી ચૂકેલા અને હાલ ટંકારાંના મોટા ખીજડિયા ગામે રહેતા આર્મીના નિવૃત સૈનિક મહોબતસિંહ ઝાલાનું આતંકી હુમલાથી લોહી ઊકળી ઉઠ્યું હતું. તેમણે ગઈકાલે યોજાયેલા પુત્રના લગ્ન પ્રસંગમાં શહીદ સૈનિકોને ભારે હૈયે વિરાજલી અપર્ણ કરી હતી. લગ્નમાં આવેલા સગા સ્નેહીજનોએ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી અને ભારે આકોશ સાથે ભારત સરકાર સમક્ષ આ આતંકી હુમલા સામે જડબાતોડ જવાબી કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text