મોરબીમાં ખોડિયાર જન્મજયંતિ ઉત્સવનું આયોજન

- text


મોરબી: મોરબીના આઈ શ્રી ખોડિયાર ગ્રુપ દ્વારા તારીખ 12ને મંગળવાર અને તારીખ 13ને બુધવારે મોરબીમાં ખોડિયાર જન્મજયંતિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તારીખ 12ને મંગળવારે રાત્રે 10:30 વાગ્યે મોરબીથી માટેલની પગપાળા યાત્રા 52 ગજની ધજા સાથે અને રાસ ગરબાની રમઝટ સાથે કરવામાં આવશે અને તારીખ 13ને બુધવારે સવારે 10:30 કલાકે મહાઆરતી અને બપોરે 12:00 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

- text

- text