- text
વાંકાનેર : ગત ચોમાસામાં અપૂરતા વરસાદને પગલે મોરબી જીલ્લામાં દુષ્કાળની સ્થિતિ સર્જાઈ હતી વાંકાનેર તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. જેમાં વાંકાનેરના ખેડૂતો સરકારની ક્રોપ ઇનપુટ સહાય મેળવવા માટે ૩૧ જાન્યુઆરી સુધી જ અરજી કરી શકશે. વાંકાનેર તાલુકાના તમામ અસરગ્રસ્ત ખેડૂતો આ યોજનાનો લાભ લઇ શકે તે માટે ખેડૂતોએ તાત્કાલિક અરજી કરવી.
ગુજરાત સરકારે દુષ્કાળગ્રસ્ત તાલુકાઓમાં સમાવિષ્ટ અસરગ્રસ્ત તાલુકાઓ માટે ક્રોપ ઈનપુટ સહાય જાહેર કરી છે અને આ યોજના અન્વયે મોરબી જિલ્લાના અન્ય તાલુકા સાથે વાંકાનેર તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેથી આ તાલુકાના ખેડૂતો સહાય મેળવવા માટે નિયત નમૂના અરજી સાથે 7/12ના પત્રકમાં વાવેતર અંગેની નોંધ 8 અ અને બેન્ક એકાઉન્ટની વિગત સહિતના જરૂરી દસ્તાવેજો સાથે ગામના તલાટી મંત્રીને અરજી કરવી સમય મર્યાદા બાદ આવેલ અરજી સ્વીકારવામાં આવશે નહીં માટે બાકી રહેતા ખેડૂતોએ તાત્કાલિક અરજી કરી આપવી.
- text
અત્યાર સુધી વાંકાનેર તાલુકામાં અંદાજે ૨૨૫૦૦ અરજી આવેલ છે વાંકાનેર તાલુકામાં ટોટલ અંદાજિત ૨૯ હજાર ખેડૂત ખાતેદાર હોય બાકી રહેતા ખેડૂત ખાતેદારોએ તાત્કાલિક અરજી કરવી. અત્યાર સુધીમાં અંદાજિત ૪૨૦૦ ખેડૂત ખાતેદારોને ચાર કરોડથી વધુ રકમના ચૂકવણાના હુકમો કરી આપવામાં આવેલ છે તેવું વાંકાનેર તાલુકા વિકાસ અધિકારી વી.કે.ગઢવીની યાદીમાં જણાવેલ છે.
મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en
- text