ટંકરાના હરબટીયાળી ગામ ખાતે રામદ્વારનું લોકાર્પણ સંપન્ન

- text


ટંકારા :
ટંકારાના હરબટીયાળી ગામ ખાતે ૨૦ જાન્યુઆરીએ સમસ્ત ગ્રામજનોની ઉપસ્થિતિમાં ‘રામદ્વાર’ લોકાર્પણનો કાર્યક્રમ યોજાઈ ગયો. તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી મધુબેન અશોકભાઈ સંઘાણી દ્વારા રીબીન કાપીને રામદ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે દાતાઓ ધનજીભાઈ રામજીભાઈ સંઘાણી, છગનભાઇ રામજીભાઈ સંઘાણી, જસમતભાઈ રામજીભાઈ સંઘણીનું ગામના સરપંચ, ઉપસરપંચ અને ગ્રામપંચાયતના સભ્યો દ્વારા તેમજ સહકારી મંડળી અને દૂધ મંડળી દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. જસમતભાઈ સંઘાણી દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું.જેમાં તેઓએ સ્વચ્છતા ઉપર ભાર મુકતો સંદેશ આપ્યો હતો. ગ્રામજનો તેમજ ઉપસ્થિત મહેમાનોને અલ્પાહાર અપાયો હતો.
સફળ કાર્યક્રમના અંતે અશોકભાઈ સંઘણીએ ઉપસ્થિત સર્વેનો આભાર વ્યક્ત કર્યા હતો.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text

 

- text