મોરબીમાં તા.29મીથી મૌલાઈ રાજાસાહેબનો ત્રીદિવસીય ઉર્ષ મુબારક

- text


મોરબી : મોરબી શહેરના દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ મૌલાઈ રાજા સાહેબનો ઉર્ષ મુબારક આગામી તા 29 થી તા 1 ડિસેમ્બર દરમિયાન મૌલાઈ રાજા સાહેબની દરગાહ ખાતે હર્ષોલ્લાસભેર ઉજવવામાં આવશે. મૌલાઈ રાજા સાહેબના ત્રીદિવસીય ઉર્ષ મુબારકનો સમસ્ત દાઉદી વ્હોરા સમાજને લાભ લેવા અનુરોધ કરાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મૌલાઈ રાજા સાહેબનો ઇતિહાસ ગૌરવશાળી છે. તેમણે ધન વૈભવ ત્યાગીને સમગ્ર જીવન અલ્લાહની બંદગીમાં જીવન સમર્પિત કરી દીધું હતું આવા દાઉદી વ્હોરા સમાજના ઓલિયા મૌલાઈ રાજા સાહેબની પવિત્ર દરગાહને ગુજરાત સરકારે શહેરી વિકાસ વર્ષ 2005 અન્વયે હેરિટેજ વોકમાં સમાવેશ કર્યો છે.અને ગુજરાત ટુરિઝમ વિભાગે આ પવિત્ર સ્થળને ભારતની સાંસ્કૃતિક તથા ધાર્મિકતને ધ્યાને લઇ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનો આદેશ આપ્યો છે.તેમ દાઉદી વ્હોરા સમાજના અગ્રણી ઝુઝર અમીને જણાવ્યું હતું.

- text

- text