વાંકાનેરના દિઘલીયામાં અને ટંકારાના અમરપરમાં સ્વાઈનફલુના એક, એક કેશ

- text


મોરબી જિલ્લામાં સ્વાઇન ફ્લૂના દર્દીઓની સંખ્યામાં ઉતરોતર વધારો

મોરબી : આજે મોરબી જિલ્લામાં સ્વાઇન ફ્લૂના બે કિસ્સા સામે આવ્યા છે જેમાં વાંકાનેર તાલુકાના દીઘલિયા ગામે અને ટંકારા તાલુકાના અમરાપર ગામે સ્વાઇનફલુનો એક – એક કેસ નોંધાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના દિઘલિયા ગામના રહેવાસી ( ઉમર વર્ષ ૪૦) જેઓને પ્રાથમિક સારવારમાં સ્વાઈનફલુના લક્ષણો દેખાતા તેઓને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે તેમના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમાં તેમને ન્યુમોનિયા અને સ્વાઈફલુ હોવાનો રિપોર્ટ આવ્યા છે.

- text

આ ઉપરાંત ટંકારા તાલુકામાં અમરાપર ગામે ૪૫ વર્ષીય પુરુષને સ્વાઇન ફલૂ પોઝિટિવ આવતા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ પૂર્વે વાંકાનેર દિઘલિયા ગામથી ખૂબ નજીક આવેલ કેરાળા ગામે પણ સ્વાઇન ફ્લૂનો એક કેસ નોંધાયો હતો.

- text