મોરબીના ભડીયાદ ગામે શનિવારે અજમલજીના રામદેવ નાટકની પ્રસ્તુતિ

- text


રમુજની રમઝટ કોમિક પણ રજૂ કરાશે

મોરબી : મોરબીના ભડિયાદ ગામે આગામી તા. ૧૩ ને શનિવારે અજમલજીના રામદેવ પૌરાણિક નાટકની પ્રસ્તુતિ કરવામાં આવનાર છે. આ સાથે રમુજની રમઝટ કોમિક પણ રજૂ કરવામાં આવશે.

મોરબીના ભડિયાદ ગામે આવેલ ગરબી ચોકમાં ગૌ શાળાના નિભાવ અર્થે આગામી તા. ૧૩ ને શનિવારે રાત્રે ૧૦ કલાકે અજમલજીના રામદેવ નાટકનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે પેટ પકડીને હસાવતા રમુજની રમઝટ કોમિકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પધારવા ગૌશાળા ટ્રસ્ટ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text