મોરબી સબ જેલમાંથી જામીન મુકત થયા બાદ કેદી છુમંતર

- text


જામીન પૂર્ણ થયા બાદ હાજર ન થતા જેલર દ્વારા ફરિયાદ

મોરબી : મોરબી સબજેલનો કાચા કામનો કેદી સાત દિવસના જામીન મળ્યા બાદ જામીન પૂર્ણ થયે જેલમાં હાજર ન થતા આ મામલે જેલરે ભરાપર કચ્છના કાચા કામના કેદી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

મોરબી સબજેલના અધિક્ષક પી.કે.ગઢવીએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી સબજેલનો કાચા કામનો કેદી ગોવિંદભાઈ હરજીભાઈ મહેશ્ર્વરી, ઉવ.૨૫ રહે. ભારાપર તા.અબડાસા જી.ભુજ વાળો જામીન મુક્ત થયા બાદ હાજર થયો ન હોવાની ફરિયાદ કરી છે.

- text

વધુમાં મોરબી સબ જેલ મોરબીના કાચા કામના આરોપી ગોવિંદ મે.ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ કોર્ટ મોરબીના જા.નં.રૂબરૂ/૨૦૧૮ તા.૧૦/૯/૧૮ ના હુકમ અન્વયે તા.૧૦/૯/૨૦૧૮ થી ૧૬/૦૯/૨૦૧૮ દિન-૭ ના વચગાળાના જામીનપર મુક્ત કરવા હુકમ કરેલ જે હુકમ અન્વયે તા.૧૦/૯/૨૦૧૮ ના વચગાળાના જામીન ઉપર મુક્ત કરેલ અને તા.૧૭/૯/૨૦૧૮ ના ક.૧૦/૦૦ વાગ્યે કાચા કામના આરોપીને જેલમાં હાજર થવાનો હુકમ કરેલ હતો પરંતુ નિયત સમયે હાજર નહી થતાં આ મામલે ફરિયાદ નોંધાઇ છે.

- text