મોરબીની ત્રાજપર ચોકડી નજીક વાહન હડફેટે યુવકનું મોત

- text


મોરબી : મોરબીની ત્રાજપર ચોકડી નજીક અજાણ્યા વાહન હડફેટે યુવકનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. બનાવ સંદર્ભે બો ડિવિઝન પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીની ત્રાજપર ચોકડી પાસે રામકુવા સામે આવેલા વેલનાથ પાનથી સામેની બાજુના રોડ પર લાલજીભાઈ નારણભાઇ સોલંકી ઉ.વ. ૩૫ રહે. વાંકાનેર વાળાને અજાણ્યા વાહને હડફેટે લઈને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. બાદમાં વાહન ચાલલ વાહન સાથે નાસી છૂટ્યો હતો. ગંભીર ઇજા પહોંચતા લાલજીભાઈનું મોત નીપજ્યું હતું.

- text

બનાવ સંદર્ભે મૃતકના પત્ની ડાઈબેન લાલજીભાઈ સોલંકીએ બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text