સરતાનપર રોડ પરથી માનવ કંકાલ મળ્યું : હત્યાની આશંકા

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર માનવ કંકાલ મળ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. પ્રાથમિક તબક્કે હત્યા કરાયેલ વ્યક્તિનું આ કંકાલ હોવાની શંકા સેવાઇ રહી હોવાનું જાણવા મળ્યું છે. હાલ આ મામલે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના સતાનપર રોડ પર આવેલ કમાન્ડર વિટરીફાઈડ કારખાના નજીક ચેકડેમ પાસે એક માનવનું કંકાલ જોવા મળતા કોઈએ વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા તાલુકા પોલીસનો કાફલો બનાવ સ્થળે પહોંચી ગયો હતો. બાદમાં હાડપિંજર લઈ રાજકોટ ફોરેન્સિક લેબમાં પી.એમ. અર્થે મોકલવામાં આવ્યું છે. પીએમ બાદ આ અંગે ગુનો દાખલ કરવામાં આવશે.

કોઈએ હત્યા કરી આ લાશ અહીં નાખી દીધી હોવાની આશંકા લોકો જતાવી રહ્યા છે. ત્યારે આ મામલે હાલ તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.

 

- text