મોરબીના કુબેરનગરમાં ગટર ઉભરાવાની સમસ્યાથી લોકો ત્રસ્ત

- text


ગટર જામ થઈ ગઈ હોવાથી ઘરના બાથરૂમમાંથી પાણીનો નિકાલ થતો ન હોવાની રાવ

મોરબી : મોરબીના કુબેરનગર વિસ્તારમાં ગટર ઉભરાવાની સમસ્યાથી લોકો ત્રસ્ત થયા છે. ગટર જામ થઈ ગઈ હોવાથી લોકોના બાથરૂમમાંથી પાણી ન જતું હોવાની ફરિયાદ ઊઠી છે.

મોરબીના નવલખી રોડ પર આવેલ કુબેરનગર મેઇન રોડ શેરી નં. ૩માં ગટર ઉભરાવાની સમસ્યા સર્જાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે સ્થાનિક રહીશ રસિકલાલ કેશવલાલ વ્યાસે જણાવ્યું કે તેઓએ આ અંગે પાલીકા તંત્રને લેખિત રજુઆત પણ કરી છે.

- text

આ વિસ્તારમાં છેલ્લા એક માસથી ભૂગર્ભ ગટરની સફાઈ થઈ ન હોવાના કારણે ઘરના બાથરૂમમાંથી પાણીનો નિકાલ થઈ શકતો નથી. આ ગટરની સમસ્યાથી લોકો ભારે હેરાન થઈ રહ્યા છે. ગટર ચોકઅપ થવાના કારણે આ સમસ્યા સર્જાય હોવાથી વહેલીતકે ગટરની સફાઈ કરવામાં આવે એવી માંગ ઉઠાવવામાં આવી છે.

- text