ટંકારા તાલુકાના સ્વાગત ફરિયાદ નિવારણના પ્રશ્નો તા.૧૦ સુધીમાં મોકલવા અનુરોધ

- text


ટંકારા : રાજ્ય સરકારના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત ટંકારા તાલુકાના પ્રશ્નો દર મહીને ચોથા બુધવારે સાંભળવામાં આવે છે જેથી સ્વાગત કાર્યક્રમમાં પ્રશ્નો હોય તો દરમહીનાની તા. ૧૦ સુધીમાં આવા પ્રશ્નો મામલતદાર કચેરીએ પહોંચાડવા અનુરોધ કરાયો છે.

સરકારશ્રીનાં સામાન્ય વહીવટ વિભાગનાં તા.૨૩/૦૧/૨૦૦૮નાં પરિપત્ર ક્રમાંક :વહસ૧૦-૨૦૦૮-મુમક-૭૩-વસુતાપ્ર(ર)થી તાલુકા કક્ષાએ ‘સ્વાગત” ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. તાલુકા કક્ષાએ સ્વાગત’ ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન દર મહિનાનાં ચોથા બુધવારે થાય છે. જેમાં લોકોનાં અગત્યનાં પ્રશ્નો/ફરિયાદોને રૂબરૂ સાંભળી નિકાલ કરવામાં આવે છે.

- text

જેથી ટંકારા તાલુકા કક્ષાનાં ‘સ્વાગત’ ફરિયાદ નિવારણ કાર્યક્રમનો નાગરિકોમાં જરૂરી પ્રચાર-પ્રસાર થાય અને ફરિયાદ નિવારણ કાર્યક્રમની અસરકારકતા જળવાય તે હેતુથી આવા પ્રશ્નો તા. ૧૦ સુધીમાં મામલતદાર કચેરીને મોકલી આપવા ટંકારા મામલતદાર દ્વારા અનુરોધ કરાયો છે.

- text