વાંકાનેર રાજમહેલની ચોરીનો ભેદ ઉકેલવા ત્રણ પોલીસ કર્મીઓને એલસીબીમાં નિમણુંક અપાઈ

- text


વાંકાનેર : વાંકાનેરના રાજમહેલમાંથી એન્ટિક વસ્તુઓની ચોરીનો ભેદ ઉકેલવા જિલ્લા પોલીસ વડા દ્વારા એલસીબી ટીમમાં ત્રણ અનુભવી પોલીસ કર્મીઓને સમાવવા હુકમ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે

સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ વાંકાનેરના રણજીત વિલાસ પેલેસમાં થી કિંમતી ચીજવસ્તુઓની ચોરી મામલે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ગંભીરતા પૂર્વક તપાસ ચાલી રહી છે ત્યારે આ ગુન્હામાં તપાસ માટે ટેકનીકલ સેલના સ્ટાફની જરૂરીયાત હોવાથી ત્રણ પોલીસ કર્મચારીઓની એલસીબીમાં બદલી કરવામાં આવી છે.

- text

આ બદલી હુકમ અંતર્ગત પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા સંજયકુમાર પટેલ, મોરબી તાલુકા પોલીસમાં ફરજ બજાવતા આશીફભાઈ રહીમભાઈ ચાણક્ય અને એ ડીવીઝન પોલીસના રવિરાજસિંહ દાજીરાજસિંહ ઝાલાને એલસીબી ટીમમાં સમાવવા હુકમ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

- text