મોરબીમાં બંધની અફવા મામલે હિન્દૂ સંગઠન દ્વારા મામલતદારને આવેદન

- text


મોરબી : સોશ્યલ મીડિયામાં હિન્દૂ યુવા સંગઠન દ્વારા તા. ૧ જુનના રોજ બંધ પાળવા એલાન આપ્યાના ખોટા મેસેજ વાયરલ થતા આ મામલે મામલતદારને આવેદનપત્ર પાઠવી તપાસ કરવા માંગ કરી હતી.

જાણવા મળ્યા મુજબ હિન્દૂ યુવા સંગઠન ના નામે ફેસબુક અને વોટ્સએપમાં ખોટા મેસેજ વાયરલ કરી તા. ૧ જુનના રોજ બંધનું એલાન આપવામાં આવ્યું હોવાની અફવા ફેલાવવામાં આવતા આ મામલે મોરબી સંગઠન દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી આવું કોઈ એલાન હિન્દૂ યુવા સંગઠન દ્વારા અપાયું ન હોવાનું સ્પષ્ટ કર્યુ હતું.

- text

વધુમાં હિન્દૂ યુવા સંગઠન મોરબી દ્વારા સોશ્યલ મીડિયામાં આવી અફવા ફેલાવનારને શોધી કાઢવા અને કડક પગલાં ભરવા માંગ ઉઠાવવામાં આવી હતી.

- text