વાંકાનેરના કણકોટ નજીક અજાણ્યા વાહન હડફેટે બાઈકચાલકનું મોત

- text


વાંકાનેર : વાંકાનેરના કણકોટ ગામ નજીક કલાવડીના પાટિયા પાસે અજાણ્યા વાહનની હડફેટે બાઈક ચાલકનું મોત નીપજ્યું હતું. પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેરના કણકોટ અને સિંધાવદર ગામ વચ્ચે કલાવડીના પાટિયા પાસે બાઈક પર જતાં ગણેશભાઈ રમેશભાઈ દતેસરિયા ઉ.વ.૨૧ને અજાણ્યા વાહને હડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું. પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

 

- text