મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં રવિવારે ધો.૧૦ના છાત્રો માટે પથદર્શક સેમિનાર

- text


મોરબી : મોરબીના સાર્થક વિદ્યામંદિર ખાતે આવતીકાલે રવિવારે પથદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધો. ૧૦ના વિદ્યાર્થીઓને આગળ શું કરવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવશે.

મોરબીના એલ.ઇ.કોલેજ રોડ પર કેસર બાગ પર આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે ધો.૧૦ પછી શુ કરવું તે વિષય પર પથદર્શક સેમનારનું આવતીકાલે તા.૨૭ ને રવિવારના રોજ સવારે ૯થી ૧૧ દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. સેમિનારમાં વિદ્યાર્થીઓએ ધો.૧૦ પછી સાયન્સ,કોમર્સ, આર્ટસ,ડિપ્લોમાંમાંથી ક્યાં ક્ષેત્રમાં કારકિર્દી ઘડવી તે વિશે મહત્વનું માર્ગદર્શન આપવમા આવશે.

- text

સેમિનારમાં ભાગ લેવા માટે મો.નં. ૭૦૪૧૫ ૯૦૦૦૦ ઉપર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. આ સેમિનારમાં ભાગ લેવા માટે બાળકો અને વાલીઓને અનુરોધ કરવામાં આવ્યો છે.

- text