વાવાઝોડાને લઈને હળવદ અને માળીયામાં તંત્રને સતર્ક રહેવાની સુચના આપતા કલેક્ટર

- text


હળવદ પ્રાંત, માળીયા મામલતદાર અને ડિઝાસ્ટર લાયઝનિંગ અધિકારીને તકેદારી રાખવાનો આદેશ

મોરબી : હવામાન વિભાગ દ્વારા દરિયાકાંઠાના વિસ્તરીમાં સાગર વાવાઝોડા અંગે આગાહી કરવામાં આવી છે જેના પગલે જિલ્લા કલેક્ટરે હળવદ પ્રાંત અધિકારી અને માળિયા તાલુકા મામલતદારને સતર્ક રહેવાની સૂચના આપી છે.

હવામાન વિભાગ અમદાવાદ દ્વારા આજ રોજ દરિયાકાંઠાના વિસ્તારોમાં સાગર સાયકલોન સ્ટોર્મ ની આગાહી આપવામાં આવી છે. હાલમાં નવલખી બંદર પર પોર્ટ ઉપર બે નંબરનું સિગ્નલ આપવામાં આવેલ છે અને પવનની ગતિ વધવાની સંભાવના હોય જેથી જિલ્લા કલેક્ટરે હળવદ પ્રાંત અધિકરી માળીયા ડિઝાસ્ટર લાયઝનિંગ અધિકારી તેમજ માળીયા તાલુકા મામલતદારને યોગ્ય તકેદરીના પગલા લેવા માટે સૂચના આપી છે.

- text

વધુમાં જિલ્લા કલેક્ટરે સાધન સામગ્રી ઉપલબ્ધ રાખવાનું પણ જણાવ્યું છે. કોઈપણ અનિચ્છનીય બનાવ કે અકસ્માત થાય અથવા સંભાવના હોય તો જિલ્લા ડીઝાસ્ટર કંટ્રોલ રૂમ ફોન નં. ૦૨૮૨૨ ૨૪૩૩૦૦ અથવા ઇમરજન્સી હોટલાઈન ૧૦૭૭ ઉપર જાણ કરવા જણાવાયું છે.

- text