વાંકાનેરના યુવાને ફીનાઇલની ગોળી પી લેતા ગંભીર હાલતમાં રાજકોટ ખસેડાયો

- text


વાંકાનેર : વાંકાનેરમાં દિવાનપરા વિસ્તારમાં રહેતા ફકીર યુવાને ગઈકાલે સાંજે સાતેક વાગ્યાની આસપાસ જાડેશ્વર મંદિર નજીક આવેલ તળાવ પાસે ફીનાઇલની ગોળીઓ પી આપઘાત કરવાનો પ્રયાસ કરતા ચકચાર જાગી છે.

જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરમાં રહેતા મહોબતશા ફકીર ઉ. ૨૫ નામના યુવાને ગઈકાલે સાંજે સાતેક વાગ્યાની આસપાસ કોઈ અગમ્ય કારણોસર જડેશ્વર તળાવ નજીક ફીનાઇલના ટિકડા પી લીધા હતા અને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો.

- text

ફીનાઇલના ટિકડા પી લેતા બેહોશ હાલતમાં મળી આવેલા ફકીર યુવાનને વાંકાનેરની હો સ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો બાદમાં યુવાનની હાલત ગંભીર જણાતા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો,આ બનાવ અંગે રાજકોટ પોલીસે પ્રાથમિક બનવાની નોંધ કરી વાંકનેર પોલીસને જાણ કરી હતી.

- text