વાંકાનેરમાં નરાધમ પતિએ રિસામણે બેઠેલી પત્નીનું નાક કાપી નાખ્યું !

- text


ચારિત્ર્ય પર શંકા કરનાર પતિને કારણે પરણિતા માવતરે હતી અને છોકરા બીમાર હોવાનું બહાનું કરી કર્યો હુમલો

વાંકાનેર : વાંકાનેરમાં રિસામણે બેઠેલી પત્નીને બાળક બીમાર છે તેવું બહાનું કાઢી બોલાવી નરાધમ પતિએ છરી લઈ પત્નીનું નાક કાપી નાખતા સનસનાટી મચી જવા પામી છે.

પોલીસ દફ્તરેથી જાણવા મળતી વિગતો મુજબ ફરિયાદી શોભનાબેન કેશુભાઇ ચોરાલીયા ઉ.વ ૩૫ ધંધો ઘરકામ રહે.ગાયત્રી મંદિર પાસે વૃધ્ધાશ્રમ સામે વાળાને ગઈકાલે તેમના પતિ કેશુભાઇ વેરશીભાઇ ચોરાલીયા જાતે દે.પુ રહે.ગાયત્રી મંદિર પાસે વૃધ્ધાશ્રમ સામે વાંકાનેર વાળાએ અગાઉ ચારીત્ર ઉપર શંકા કરી લગ્ન જીવન દરમ્યાન મારકુટ કરી તથા શારીરિક માનસીક દુઃખ ત્રાસ આપતો હોય આ કામના ફરીયાદીને ત્રાસ આપતા તેઓ પોતાના માવતરે રીસામણે બેઠેલ હતા.

- text

દરમિયાન આ કામના આરોપી કેશુભાઈ એ છોકરા ને મજા નથી તેવુ બહાનુ કાઢી શોભણાબેનને બોલાવી ચારીત્ર ઉપર શંકા કરી ગાળો આપતા ફરીયાદીએ પોતાના ચારીત્ર ઉપર શંકા નહી કરવા અને ગાળો નહી દેવા કહેતા કેશુભાઈ એકદમ ઉશકેરાઇ જઇ ફરીને પછાડી લઇ છરી વતી ફરી નુ નાક કાપી નાખી ગંભીર ઇજા કરી ફરી ને જાનથી મારી નાખવાની ધમકી આપતા જીલ્લા મે.જી.મોરબીના જાહેરનામા નો ભંગ કરી ગુન્હો કરતા વાંકાનેર પોલીસે ગુન્હો નોંધ્યો હતો એ મામલે વધુ તપાસ PSI આર.પી. જાડેજા ચલાવી રહ્યા છે.

- text