- text
મોરબી: મોરબી-માળીયા હાઈવે પર મોડી રાત્રીના સમયે યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લીધો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે રહેતા વિષ્ણુ અર્જુનભાઈ નાયક (ઉ.વ.૨૫) એ મોડીરાત્રીના સ્વામિનારાયણ ગુરુકુળ નજીક કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેમને પ્રથમ સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા હતા અને બાદમાં રાજકોટ ખસેડવામાં આવતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવની નોંધ મોરબી તાલુકા પોલીસે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
- text
- text