- text
મોરબી: નાગડાવાસ ગામ ના લોકલાડીલા યુવાન શિક્ષક સ્વ. મયુર ડાંગરનું મૃત્યુ થતાં તેમની પાછળ તેમના મિત્ર મંડળે આજરોજ રામનવમી ના પાવન દિવસે વિવિધ સેવા કાર્યો કર્યા હતા ઉપરાંત સુંદરકાંડના પાઠનું આયોજન કર્યું હતું જેમાં સમગ્ર ગામવાસીઓ જોડાયા હતા.
- text
નાગડાવાસ ગામના યુવાન શિક્ષક સ્વ.મયુર ડાંગરનું ગત ૨૯ જાન્યુઆરીના રોજ અવસાન થયું હતું તેમની સ્મૃતિમાં તેમના મિત્ર મંડળ દ્વારા આજે રામનવમીના પાવન દિવસે વૃક્ષારોપણ, પાણીનું પરબ ,પક્ષીનો ચબૂતરો બનાવવા જેવા સેવા કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા.આ ઉપરાંત ગામમાં સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગામવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.
- text