જલ્લા સો અલ્લાહ ! મોરબી જલારામ પ્રાર્થના મંદીર દ્વારા હાજીપીર જતા પદયાત્રીકો માટે સેવા કેમ્પ

- text


તા. ૧૨ અને ૧૩ માર્ચ દરમિયાન પદયાત્રા રૂટ ઉપર ચા – પાણી, નાસ્તો, ભોજન અને એમ્બ્યુલન્સ સહિતની સેવા અપાશે

મોરબી : જલ્લા સો અલ્લાહ ના સુત્રને સાર્થક કરવા દર વર્ષની જેમ આ વર્ષે પણ જલારામ પ્રાર્થના મંદીર દ્વારા હાજીપીર જતા પદયાત્રીકો માટે ભવ્ય સેવા કેમ્પ નુ આયોજન કરવા મા આવ્યુ છે.

જલારામ સેવા મંડળ અને જલારામ પ્રાર્થના મંદિર મોરબી દ્વારા તા.૧૨ અને ૧૩ માર્ચના રોજ સેવા કેમ્પ નુ આયોજન કરવામા આવેલ છે. જે સેવા કેમ્પમા એમ્બ્યુલન્સ સેવા, મેડીકલ સેવા, ચા-પાણી-નાસ્તો તેમજ ઠંડા પીણા અને ભોજન સેવા પ્રદાન કરવામા આવશે. કેમ્પ પદયાત્રાના રૂટ દરમિયાન ફરતો રહેશે.

- text

આ સેવા કેમ્પમા સંસ્થાના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, ફીરોઝભાઈ, ચિરાગ રાચ્છ, ભાવીન ઘેલાણી, દીનેશ સોલંકી, હરેશભાઈ ભટાસણા, નવલભાઈ માણેક, વિનુભાઈ લાંઘણોજા સહીતના સેવા પ્રદાન કરનાર હોવાનું જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડની યાદીમાં જણાવાયું છે.

- text