- text
મોરબી : મોરબીના મકનસર ખાતે આવેલી સ્વામિનારાયણ પ્રાથમીક શાળામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.
મોરબીના મકનસર ગામે આવેલ સ્વામિનારાયણ પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત શાળાના ૬૧૩ બાળકોને કૃમિનાશક દવા પીવડાવવામાં આવી હતી.
બાળકોમાં દવાનો ભય ના રહે તે માટે ખુદ આરોગ્ય કર્મચારી દિલીપ દલસાણીયા એ પહેલા દવા પી બાદમાં બાળકો ને બતાવી અને બાળકો માં થતી વિવિધ બીમારીઓ અને સરકારના આરોગ્ય વિષયક ની વિવિધ સેવાઓ ની માહિતી આપી હતી.
- text
- text