- text
હળવદ : હળવદમાં આવેલ મહિલાઓ માટેના સ્વામિનારાયણ મંદિરના સેવિકા ગુમ થઈ જતા આ મામલે પોલોસ ફરિયાદ નોંધાઇ છે.
જાણવા મળતી વિગતો મુજબ હળવદના મહિલાઓ માટેના સ્વામીનારાયણ મંદિરમાં સેવક તરીકે કામ કરતા નીતાબેન પ્રેમજીભાઈ સોનગ્રાએ હળવદ પોલીસ મથકમાં નોધ કરાવી હતી કે સ્વામીનારાયણ મંદિરમાં છેલ્લા ૧૪ વર્ષથી સંસાર ત્યાગીને સેવા કરતી મનીષાબેન ઉર્ફે મીનાબેન હસમુખભાઈ પરમાર ઉ.૨૯ નામની યુવતી તા.૨૨ ના રોજ વહેલી સવારના કોઈને કહ્યા વગર ચાલ્યા ગયેલ છે.
- text
આ મામલે હળવદ પોલીસે ગુમસુધાની નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે.
- text