વાંકાનેર માં આજે ચુવાળીયા ઠાકોર સમાજનુ સ્નેહ મિલન યોજાયુ

- text


વાંકાનેર: વાંકાનેર-રાજકોટ રોડ પર આવેલા શ્રી વેલનાથબાપુ ના મંદિરે શ્રી વેલનાથ સમૂહ લગ્ન સમિતિ વાંકાનેર દ્વારા એક સ્નેહ મિલન નુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે સમાજ ના શ્રેષ્ઠીઓ દ્વારા પોતાના વ્યક્તવ્યો રજૂ કરવામાં આવ્યા તેમજ આ સ્નેહ મિલનમાં બહોળી સંખ્યામાં જ્ઞાતિ બંધુઓ હાજર રહ્યા હતા.

- text

આ સ્નેહ મિલનમાં સમૂહ લગ્ન સમિતિ દ્વારા કરિયાવર ના દાતાશ્રીઓ ના સન્માન કરવામાં આવ્યા. સાથો-સાથ દર વર્ષ ની જેમ આ વર્ષે પણ યોજાનાર સમૂહ લગ્નમાં જોડાનાર નવ દંપતિઓ ના નામ ની નોંધણી તેમજ આવનારા સમૂહ લગ્નમાં માતા-પિતા ના હોય એવા દીકરા-દીકરી ની પ્રથમ પસંદગી કરવામાં આવી અને આવનારી ૧૮ ફેબ્રુઆરીએ ૭ દીકરીઓ ના સમૂહ લગ્ન યોજાશે એવું સમૂહ લગ્ન સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધ્રાંગધ્રા-હળવદ ના ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા, બાબુભાઈ ઉઘરેજા, જયંતીભાઈ, રણછોડભાઈ તેમજ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

- text