મોરબીમાં વિદ્યારંભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો

- text


શિશુ મંદિર શાળા દ્વારા શક્તિ મંદિરથી ધર્મગ્રંથ યાત્રા યોજાઈ

મોરબી: મોરબી શિશુ મંદિર શાળા દ્વારા પ્રથમ કક્ષાએ અભ્યાસમાં દાખલ થયેલા બાળકો માટે વિદ્યારંભ સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરાયું હતું જે અંતર્ગત ધર્મગ્રંથ શોભાયાત્રા યોજવામાં આવી હતી.

- text

વૈદિક સંસ્કૃતિનું જ્ઞાન આપી બાળકોમાં સંસ્કારોનું સિંચન કરતી મોરબી શિશુમંદિર શાળા દ્વારા ધોરણ ૧ માં પ્રવેશ મેળવનાર બાળકોમાં વિદ્યારંભ સંસ્કાર માટે વિશેષ ધર્મગ્રંથ શોભાયાત્રાનું આયોજન કરી અભ્યાસનો પ્રારંભ કરવાવામાં આવ્યો હતો. આ માટે સનાળા શક્તિમાતા મંદિર ખાતેથી શિશુમંદિર શાળા સંકુલ સુધી વાલીઓ દ્વારા ધર્મગ્રંથોની વિધિવત શોભાયાત્રા યોજવામાં આવી હતી.

આ તકે જયેશભાઇ પનારા થતા શિશુમંદિરના પ્રધાનચાર્ય કુંદનબેન ચારોલાએ જણાવ્યું હતું કે ઋષિકાળથી વિદ્યારંભ સંસ્કાર બાદ જ શિક્ષણનો પ્રારંભ થાય છે પરંતુ આ પરંપરા હાલ વિલુપ્ત થઈ છે પરંતુ શિશુમંદિર સંકુલ આ પરંપરા ભુલ્યું નથી.

- text