- text
મોરબી : નવા શૈક્ષણિક સત્રથી શિક્ષકોને નવી દિશા અને નવા વિચારોથી શિક્ષકોની ભૂમિકા સરળ અને સફળ રહે તેવા ઉમદા હેતુથી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા શિક્ષકો માટે ત્રણ દિવસય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન મોરબી દ્વારા નવયુગ શૈક્ષણિક સંકુલ, મોરબી રાજકોટ હાઈવે ખાતે તા. ૦૩ થી ૦૫ દરમિયાન ત્રણ દિવસીય ટીચર્સ ટ્રેનીંગ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ ક્ષેત્રના તજજ્ઞો જ્ઞાન પીપાષુઓને પોતાની આગવી શૈલીમાં જ્ઞાન આપશે.
- text
ટીચર્સ ટ્રેનીંગ સેમીનારમાં જોડાવવા ઈચ્છુક સ્ટાફ ગણને પોતાનું નામ અને મોબાઈલ નંબર રજીસ્ટ્રેશન કરાવવા માટે અને ટીચર્સ ટ્રેનીંગ સેમીનારનો લાભ લેવા મો.૯૯૭૮૫ ૫૩૮૭૫ રજીસ્ટ્રેશન કરાવી લેવા સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાની યાદીમાં જણાવાયુ છે.
- text