હળવદ : રણમલપુર ગામે વરુણ અને રેશ્મા પટેલના પૂતળા બાળ્યા

- text


હળવદ : વરુણ પટેલ અને રેશમા પટેલ ભાજપમાં જોડતા પાટીદાર સમાજ દ્વારા ઠેર-ઠેર પુતળા દહન કરી વિરોદ્ધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબી જિલ્લામાં પણ દરેક ગામોમાં વરુણ અને રેશ્મા પટેલ સામે આક્રોશ વ્યકત કરી તેમના પૂતળા બાળવામાં આવી રહ્યા છે. જેમાં મોરબી શહેર , ખરેડા , વાંકડા બાદ હળવદ તાલુકાના રણમલપુર ગામે પાસના કાર્યકરો દ્વારા પાટીદાર સમાજ સાથે ગદ્દારી કરનાર વરુણ પટેલ અને રેશ્મા પટેલ સામે રોષ વ્યકત કરી બન્ને ના વાજતે ગાજતે ઢોલ નગારા સાથે અંતિમ સંસ્કાર નો કાર્યક્રમ યોજી બન્નેના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.

- text

 

- text