- text
ટંકારા : ટંકારા અનુસુચિત સમાજ દ્વારા કેસ પાછા ખેંચવા મામલતદારને આવેદનપત્ર અપાયું પાઠવવામાં આવ્યું હતું જેમાં ઉનાકાંડ પ્રકરણ મા થયેલા કેસ પાછા ખેચો ની માંગ કરવામાં આવી છે.
રાજ્ય મા ચાલતા પાટીદાર અનામત આંદોલનના હિરો હાર્દિક પટેલ પર લાગેલ કેસોને સરકારે બેઠક બાદ પાછા ખેંચ્યા હતા ત્યારે હવે ટંકારાથી અનુસુચિત સમાજ દ્વારા પણ ઉનાકાંડ પ્રકરણ મા થયેલ ખોટા કેસો પાછા ખેંચવાની માંગ સાથે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું આ તકે મોટી સંખ્યામાં સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.
- text
- text