- text
મોરબી:આગામી ૪ ઓક્ટોબરને બુધવારે મોરબી ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખ દ્વારા શરદપૂર્ણિમા મહોત્સવ ૨૦૧૭નું આયોજન કરવામાં આવ્યું છે.
- text
શરદપૂર્ણિમાના અવસરે મોરબી સમસ્ત બ્રહ્મ સમજ મહિલા પાંખ અને મહિલા પરિવાર દ્વારા અત્રેના પરશુરામ મંદિર ખાતે તા.૪ ને બુધવાર રાત્રે ૯ વાગ્યે રાસગરબા ના કાર્યક્રમનું આયોજન કરાયું છે.
આ શરદોત્સવનું ઉદ્ઘાટન ડો.ભાવનાબેન જાની અને ડૉ.દેવીનાબેન અખાણીના હસ્તે કરવામાં આવશે આ પ્રસંગે બ્રહ્મ સમાજ મહિલા પાંખના પ્રમુખ ક્રિષ્નાબેન શાસ્ત્રી,બ્રહ્મ સમાજ મોરબી જિલ્લા પ્રમુખ હસુભાઈ પંડ્યા,સમસ્ત બ્રહ્મ સમજ મોરબી પ્રમુખ મનોજભાઈ પંડ્યા સહિતના અગ્રણીઓ હાજર રહેશે.
સમગ્ર આયોજનને સફળ બનાવવા મહિલા પાંખના પ્રમુખ જયશ્રીબેન જોશી,મીનાબેન પંડ્યા સહિતના હોદેદારો જહેમત ઉઠાવી રહ્યા છે.
- text