અનાથ બાળાઓ પાસે ઉદ્યોગપતિએ રાખડી બંધાવી

- text


મોરબી : મોરબીના યુવા ઉદ્યોગપતિ દ્વારા રક્ષાબંધનની પ્રાણદાયી ઉજવણી કરી હતી જેમાં ઉદ્યોગપતિ મિત્રોએ અનાથ આશ્રમમાં જઈને અનાથ બાળાઓ પાસે રાખડી બંધાવી રક્ષાબંધનની ઉજવણી કરી હતી.
રક્ષાબંધનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે મોરબીના યુવા ઉદ્યોગપતિ હરેશ ગાંભવા અને યોગી પટેલ દ્વારા રક્ષાબંધનના પર્વ નિમિતે આજે અનાથ આશ્રમમાં જઈને નિરાધાર બાળાઓ સાથે આ પર્વની ઉજવણી કરી હતી. વિકાસ વિદ્યાલયની બાળાઓ પાસે રાખડી બંધાવી તેના મો મીઠા કરાવીને તેને નાસ્તો કરાવી પર્વની ઉજવણી કરી હતી. તો ભાઈ બહેનના પ્રેમના બંધન સમા પર્વને ઉજવીને બાળાઓ પણ ખુશીથી ઝૂમી ઉઠી હતી.

- text

 

 

- text