- text
મોરબી : મોરબી જીલ્લા વન વિભાગ દ્વારા આજરોજ મકનસર પાંજરાપોળ ખાતે “૬૮માં વન મહોત્સવ”ની ઉજવણી કરવામાં આવી હતી.
- text
મોરબીના મકનસર પાંજરાપોળ ખાતે યોજાયેલ વનમહોત્સવ કાર્યક્રમની ઉજવણી રાજ્ય કક્ષાના પંચાયત,ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી જયંતીભાઈ કાવડિયાના અધ્યક્ષ સ્થાને યોજાનાર હતી પરન્તુ તેઓ હાજર રહ્યા ન હતા
ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઈ ભંડેરીના અતિથિ વિષેશપદે યોજાયેલ આ કાર્યક્રમમાં રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા,કચ્છ-ભુજ વિનોદભાઈ ચાવડા,સુરેન્દ્રનગર સાંસદ દેવજીભાઈ ફતેપરા અને જામનગર સાંસદ પૂનમ માડમ ઉપસ્થિત રહયા હતા.
આ પ્રસન્ગે જીલ્લા પંચાયત પ્રમુખ મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા,વાંકાનેર ધારાસભ્ય મહમદજાવિદ પીરઝાદા,ટંકારા-પડધરી ધારાસભ્ય બાવનજીભાઈ મેતલિયા,કાલાવડ ધારાસભ્ય મેધજીભાઇ ચાવડા અને ગાંધીનગર અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક જી.યાદવ સહીત ના મહાનુભાવોવિશેષ ઉપસ્થિત રહીને વન મહોત્સવ ઉજવણીમાં સહભાગી બન્યા હતા.
- text