હળવદ : વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ દ્વારા આતંકવાદનાં પુતળાનું દહન કરાયું

- text


હળવદ : દર વર્ષની જેમ આ વર્ષે પણ બાબા અમરનાથ યાત્રામાં દેશભરનાં ભાવિકો ભક્તો શ્રદ્ધા સાથે જોડાયા હોય ત્યારે યાત્રિકોની બસ પર આતંકવાદીઓ દ્વારા અંધાધુંધ ગોળીબાર વર્ષાવી આતંક મચાવેલી ઘટનામાં ૭ યાત્રિકોના મૃત્યુ થયા હતા અને ૧૮ યાત્રિકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટનાનાં વિરોધમાં વિહિપ બજરંગદળ હળવદ દ્વારા શહેરનાં મુખ્ય ચોક સરાનાકા ખાતે આતંકવાદનાં પુતળાની દહન કરવામાં આવ્યું હતું. અને આતંકવાદ-પાકિસ્તાન વિરોધી સૂત્રોચાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વિશ્વ હિંદુ પરિષદ બજરંગદળનાં કાર્યકરો સહિત હળવદનાં નાગરિકોએ સ્વૈચ્છિક રીતે જોડાઈને પોતાનો રોષ પ્રગટ કર્યો હતો અને મૃત્યુ પામનાર યાત્રાળુઓને શ્રદ્ધાજલિ પાઠવી હતી.

- text