- text
મોરબી : ૧૧ જુલાઈ ૨૦૧૭નાં રોજ વિશ્વ વસ્તી દિવસની ઉજવણીનાં ભાગરૂપે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ જિલ્લા પંચાયત મોરબી દ્વારા એક સેમિનારનું આયોજન ૧૧ જુલાઈ મંગળવારનાં રોજ સવારે ૧૦ વાગ્યે શ્રી દાદાભગવાન પ્રેરિત ત્રિમંદિર, નવલખી રોડ મોરબી ખાતે કરવામાં આવ્યું છે. તેમજ વર્ષ ૨૦૧૬-૧૭ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરેલા વિવિધ કર્મચારીઓને સન્માન ઉપરાંત નસબંધી અપનાવેલા દંપતીઓનું પણ સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યું છે.
- text
આ કાર્યક્રમ મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સોનલબેન ધનશ્યામભાઈ જાકાસણીયાનાં અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યો છે. જેમાં કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા આરોગ્ય સમિતિનાં ચેરમેન હાજર રહેશે. આ સંમેલનમાં સૌએ ઉપસ્થિત રહેવા આરોગ્ય અને કલ્યાણ વિભાગ જિલ્લા પંચાયત મોરબી દ્વારા જણાવવામાં આવ્યું છે.
- text